Service Alert
Website maintenance April 24 10pm ET
On Wednesday April 24 at 10pm ET the CELA website will be unavailable for about 15 minutes for planned maintenance.
On Wednesday April 24 at 10pm ET the CELA website will be unavailable for about 15 minutes for planned maintenance.
Showing 81 - 100 of 786 items
By Mohan Madhikar. 1996
1996ના ‘સેવાદિન’ (1લી સપ્ટેમ્બર: જુગતરામભાઈનો જન્મદિન) નિમિત્તે જુગતરામભાઈ દવેનાં વીણેલાં કાવ્યોનું પુસ્તક પ્રગટ કરવાનું ઠરાવેલું. પાંચેક વર્ષ પૂર્વે—એમના જન્મશતાબ્દી વર્ષે…
એમનાં વેરાયેલાં કાવ્યો સંશોધન કરી મેં એકત્રિત કર્યાં હતાં. તેમાંથી શ્રી ભીખુભાઈ વ્યાસ, શ્રી હર્ષકાન્તભાઈ વોરા તથા શ્રી ગભરુભાઈ ભડિયાદરા સાથે મળી અમે કાળના પ્રવાહમાં વિલીન થતાં બચાવી લેવા યોગ્ય, પોતાના પગ પર ઊભાં રહી શકે તેવાં તથા કવિના નોખા નોખા મિજાજનું દર્શન કરાવતાં કાવ્યો અહીં લીધાં છે. પસંદગીના કાર્યમાં વ્યક્તિગત રસ-રુચિ, ગમા-અણગમા ભાગ ભજવી શકે છે. કંઈક ઉદારતા દાખવી આટલાં કાવ્ય-પુષ્પો ચૂંટ્યાં છે.By M. K. Gandhi. 1945
આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમયે જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂતિર્ અને…
ધામિર્ક્તાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યુ એમ આપણે માનીએ તો તેમાં જરા સરખી પણ અતિશયોક્તિ છે ખરી? - આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમયે જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂતિર્ અને ધામિર્ક્તાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યુ એમ આપણે માનીએ તો તેમાં જરા સરખી પણ અતિશયોક્તિ છે ખરી?By Mahatma Gandhi. 1930
ગાંધીજીના જીવન-વિચાર પર ગીતાજીનો એક અનોખો પ્રભાવ જોવા મળે છે. તદુપરાંત ગીતા વિષે ગાંધીજીના વિવેચનો અને મંતવ્યો અન્ય ધાર્મિક અનુવાદો…
કરતાં નોખા તારી આવે છે. રોજબરોજના પત્રો અને ભાષણોમાં આપેલ દ્રષ્ટાંતો ઉપરાંત સંપૂર્ણ અધ્યયન-અનુવાદ-ટીકા જે બરાબર દાંડીકૂચના દિવસે પ્રકાશિત થયો તેને ગાંધીજીએ અનાસક્તિયોગ નામ આપ્યું. આ પુસ્તક તે અનાસક્તિયોગમાં ગાંધીજીની મૂળ ઈચ્છાના આધારે તેમના અવસાન પછી મહાદેવભાઈના અંગ્રેજી અનુવાદ, કિશોરભાઇ મશરૂવાળાના સૂચનો, શ્રી વિનોબાજીની ગીતાઈ અને ગાંધીજી સાથેની અગાઉની ચર્ચાના ઉમેરા સાથે કાકાસાહેબ કાલેલકરનું સંપાદન છે જેમાં ગાંધીજી ના વિચાર સ્પષ્ટ પ્રગટ થાય છે.By Kanaiyalal Ramanuj. 1979
આ પુસ્તકમાં પ્રાણીજગતનાં થોડાં પ્રાણીઓની સુરેખ આપવા મેં પ્રયત્ન કર્યો છે. હું કોઈ પ્રાણીનિષ્ણાત નથી. જે ક્ષતિઓ હોય તે અત્યારે…
વાચકો ક્ષમય ગણશે. ગુજરાતી સાહિત્યમાં આવું પ્રથમ પુસ્તક હોઈ, વાચક વર્ગ આવકારશે તેવી મને ખાતરી છે. - કનૈયાલાલ રામાનુજBy Mahatma Gandhi. 1957
પોતાના જીવનનાં પુખ્તમાં પુખ્ત ગણાય એવાં ત્રીસ વરસના ગાળા દરમ્યાન વિવિધ પ્રસંગોએ ગાંધીજીને પોતાના હૃદયમાંથી સચોટ રીતે બોલતા અગર લખતા…
આ પુસ્તકમાં વાચક જોશે. અનેક મોટી મોટી સિદ્ધિઓ મેળવનાર એક આધુનિક જમાનાના પુરુષે ઈશ્વર તેમ જ ધર્મના વિષયમાં જે કંઈ વિચાર્યું તે બધું આજના કપરા કાળમાં ભણેલાંગણેલાં સ્ત્રીપુરુષોને પોતાની કેળવણીને માટે ઉપયોગી થયા વિના નહીં રહે... આપણા રાષ્ટ્રપિતા કેવા પ્રકારના પુરુષવિશેષ હતા તે સમજવા માગનારે આ પુસ્તક વાંચવું જાઈએ. આપણાં શાસ્ત્રોમાં અથવા બીજા ધર્મગ્રંથોમાં નવ હોય એવું ધર્મ વિશેનું કંઈ પણ શીકવાની કોઈને ઈચ્છા ન હોય એમ બને. પણ જેમને ચાહતા હતા અને આપણું રાષ્ટ્ર જેમનું ઋણી છે એવા અને વિરલ મહાપુરુષના માનસના એક પાસાનું આપણને અહીં દર્શન થાય છે.By R. M. Lala. 2005
માણસનું મન અમે શરીર સંયુક્ત રીતે કોઈ પણ પ્રકારના ગંભીર રોગની નકારાત્મક અસરનો પ્રતિકાર કરવાની પ્રચંડ શક્તિ ધરાવે છે. શ્રી…
લાલાનું આ પુસ્તક, મન અને શરીર ના સમન્વયના આવા અમુલ્ય ફાળાને શારીરિક તનાવ સમયે આપણે પણ અજમાવી શકીએ એ વાતની આપણને પ્રતીતિ કરાવે છે. જેઓ શારીરિક વેદના સહન કરી રહ્યા છે તેમને અને તેમના કુટુંબીજનોને આ પુસ્તક, જેની તેમને ખૂબ જરૂર છે તેવા વિશ્વાસ, શાતા અને રાહત આપશે એની મને ખાતરી છે.By Kakasaheb Kalelkar. 2003
આ ચોપડી વાંચીને મારા બાળમિત્રોને આનંદ થાય તો મને પૂરતો સંતોષ છે. પણ મારી અપેક્ષા એ છે કે બાળવાચકો જેમ…
જેમ આ પ્રકરણો વાંચતાં જાય તેમ તેમ પોતાના જીવનમાંના આવા જ અથવા બીજા રસિક પ્રસંગો યાદ કરીને લખતા જાય અને શિક્ષકોની સહેજસાજ મદદ લઈને માસિકોમાં છાપવા માટે મોકલતા જાય. આપણે ત્યાં બાળકો માટે લખેલું સાહિત્ય વધતું જાય છે, બાળકોએ જાતે લખેલું સાહિત્ય હજી પ્રગટ થતું નથી.By Nilam Parikh. 2013
આ પુસ્તકનું નામ ‘ગાંધીજીના સહસાધકો’ એવું રાખ્યું છે. એમાં બે અર્થ અભિપ્રેત છે. પહેલું એ કે ગાંધીજીનું જીવન એ એક…
સાધના હતું. એ તો નિર્વિવાદ છે. આના સમર્થનમાં ગાંધીજીનાં લખાણોમાંથી ઘણાં પ્રમાણો મળી રહે છે. બીજું, આશ્રમજીવન એ એમની જીવનસાધનાનું અનોખું સાધન હતું.By Mukulbhai Kalarthi. 1960
સરદારશ્રીના વ્યક્તિત્વનું સાચું દર્શન કરવું હોય તો એમની એ અનુભવપૂત વાણીમાં વ્યક્ત થતા જીવનપ્રેરક સત્યનો પરિચય કરવો જ રહ્યો. આ…
દૃષ્ટિને લક્ષમાં રાખીને પ્રસ્તુત પુસ્તિકામાં એ અનુભવ-વાણીને તારવીને સમયના ક્રમ અનુસાર ગોઠવીને આપવા નમ્ર પ્રયત્ન કર્યો છે.By Mukul Kalarthi. 1961
મારી સ્ત્રી પ્રત્યેનો મારો ભાવ હું વર્ણવી શકું તો હિંદુ ધર્મ પ્રત્યેનો મારો ભાવ વર્ણવી શકું. મારી સ્ત્રી મારા અંતરને…
જે રીતે હલાવે છે તે રીતે દુનિયાની બીજી કોઈ સ્ત્રી હલાવી શકે એમ નથી. એક અતૂટ મમતાના બંધનની ભાવના અહોરાત્ર મારા અંતરમાં જાગ્રત છે. —બાપુ મારા જેવો પતિ તો કોઈને દુનિયામાં પણ નહીં હોય. મારા પતિને લીધે તો હું આખા જગતમાં પૂજાઉં છું. —બાBy Gopaldas Pate. 2015
દેશ આઝાદ થવાની તૈયારીમાં હતો ત્યારની વર્ષ 1947ની—સ્વાતંત્ર્ય ચળવળ અને લૉર્ડ માઉન્ટબૅટનની ભારતના ગવર્નરજનરલ તરીકેની વરણીથી લઈને ગાંધીજીના અંતિમ સંસ્કાર…
સુધીના ખાસ્સા સંઘર્ષ પીડા—કરુણામય સમયને આવરીને બે ફ્રેન્ચ લેખકો લૅરી કોલિન્સ અને ડૉમિનિક લાપિયેરે લખેલા અંગ્રેજી પુસ્તક ‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’નો ગોપાલદાસ પટેલે કરેલો સંક્ષિપ્ત અનુવાદ છે. હિંદુસ્તાનના ભાગલા, સ્વતંત્ર અને સાર્વભૌમ ભારત રાષ્ટ્રનો જન્મ અને ગાંધીજીની હત્યા સંબંધે સરેરાશ ભારતવાસીમાં જે માહિતી-સમજણ પ્રવર્તે છે, તેમાં ખાસ્સા સુધારાનો અવકાશ ધરાવતું આ પુસ્તક નવી પેઢી માટે ઇતિહાસને ખુલ્લા મને જોવા સમજવા માટેની દૃષ્ટિ ખીલવનારું બની રહેશે.By Mahatma Gandhi. 2013
ગાંધીજીની આત્મકથા ‘સત્ય ના પ્રયોગો' એ વિશ્વમાં સૌથી વધુ વેચાયેલ અને વંચાયેલ આત્મકથાઓમાંની એક છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ…
પુસ્તકની અત્યાર સુધીમાં છ લાખ થી વધુ નકલો વેચાઇ ચુકી છે. તદુપરાંત અંગ્રેજી અને હિન્દી સહિત તેર ભારતીય ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તક ગાંધી-વિચાર સમજવામાં પાયાના પત્થર જેવું કામ કરે છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા તેની ઇ-બુક ડિસ્કાઉંટ સાથે ઇ-શબ્દ પર...By Damayanti Valji Sejpal. 2017
By Kakasaheb Kalelkar. 2013
'પરમ સખા મૃત્યુ' કોણ કહે છે કે દુનિયામાં દુ:ખ નથી ? દુનિયામાં દુ:ખ જ્યાંત્યા ફેલાયેલું છે પણ જીવન આખું દુઃખથી…
ભરેલું છે.એમ કહેવું તે જીવન પ્રત્યે અન્યાય કરવા જેવું છે. દુનિયામાં સુખ પણ છે અને દુ:ખ પણ છે. ખાસ જાણવા જેવી વાત એ છે કે કેટલાંક સુખ સુખકર હોવા છતાં ઈચ્છવા જેવા હોતા નથી. એ તો ટાળવા જ સારા, કેમ કે અમુક સુખ માણસને ઉતારનારું, પાડનારું અને હીન બનાવનારું હોય છે. જે સુખ પ્રારંભમાં એટલે કે ભોગવતી વખતે અમૃત જેવું લાગે, પણ પરિણામે ઝેર જેવું હોય, તે સુખને ગીતાએ ટાળવા જેવું ગણ્યું છે. મુત્યુંમાંત્રની બીક રાખવી માણસને માટે યોગ્ય નથી. માણસ પોતાના મૃત્યુની કલ્પનાથી ડરે, અકળાય એ તો કાયરતા જ છે. કોક કોક વાર સત્યાગ્રહી તરીકે, દેશરક્ષણના અર્થે અથવા સજ્જનોના બચાવને અર્થ પ્રાણ અર્પણ કરવાનો વારો આવે ત્યારે માણસ પ્રસન્નતાપૂર્વક મુત્યુને ભેટવા તૈયાર થઇ જાય.By Shivanand Adhrvyu. 2017
By M. K. Gandhi. 2017
હિંસાની વિચારધારાને આપણે સામાન્ય રીતે માનીએ છીએ તેથી વધુ અનુમોદન પ્રાપ્ત છે. હિંસાના હિમાયતીઓના બે વર્ગ છે. અલ્પ અને વધુ…
અલ્પ થતો જતો એક સમુદાય હિંસામાં માને છે અને એ મુજબ આચરણ કરવા તૈયાર હોય છે. બીજો અતિ મોટો એક વર્ગ હંમેશા રહ્યો છે જે હિંસામાં આસ્થા ધરાવે છે ખરો, પણ, હમણાના આંદોલનની નિષ્ફળતાના કડવા અનુભવ પછી, એમની એ આસ્થા આચરણમાં પરિણમતી નથી. કાર્યસિદ્ધિ માટે જબરદસ્તી સિવાય બીજા માર્ગ એમની પાસે હોતા નથી. હિંસામાં એમનો ઇતબાર એવો જડબેસલાક હોય છે કે બીજાં બધાં કામો કરવાને અને કશાનો ભોગ આપવાને રસ્તે જતા એ અટકે છે. આ બેઉ અનિષ્ટ જબરાં છે. હિંસાનાં તમામ સ્વરૂપોને આપણે તિલાંજાલિ નહીં આપીએ અને ઇતર પરિબળને આપણું ચાલકબળ નહીં બનાવીએ ત્યાં સુધી આપણી આ માતૃભૂમિના નવનિર્માણની આશા મિથ્યા છે. હિંસાચારના નકારનો તકાજો આજે છે એટલો કદી નહોતો. આ ધ્યેયસિદ્ધિ માટે શ્રી ગાંધીના આ વિખ્યાત પુસ્તકના પ્રકાશન અને તેના વિશાળ ફેલાવાથી બહેતર બીજો કયો રસ્તો હોઈ શકે? [હિંદ સ્વરાજ] - ચ. રાજગોપાલાચાર સત્યાગ્રહ સભા, મદ્રાસ, 6–6–’19By Shri Jamanalal J. Halatwala. 2017
By Shrimati Taruben Aacharya. 2017
By Jayantilal Acharya. 2017
By Sri Keshavlal Shastri Vedantacharya. 2017